Pushtimarg: The Path of Grace.. Jai Shri Krishna to All..

એક કોડિયું

Diwali_Diya.Ek-Kodiyu

એક કોડિયું

એને હંમેશાં પ્રકાશિત રાખો
આપણે ભગવાન પાસે પીવાનું થોડુંક પાણી માગ્યું. એણે હજારો નદીઓ, ઝરણાંઓ અને સરોવરો આપણને આપી દીધાં….
આપણે એની પાસે એકાદ ફૂલની માગણી કરી…એણે આપણને બગીચાઓ ભરીને ગુલદસ્તાઓ મોકલી આપ્યા…..
આપણે છાંયડા માટે એની પાસે એક ઝાડ માગ્યું અને એણે આપણને મોટાં જંગલો આપી દીધાં….
આપણે કહ્યું કે…”હે ભગવાન, એકલું એકલું લાગે છે તો એણે આપણને કુટુંબ, સાથી-સંગાથી તેમજ મિત્રોની ભેટ મોકલી આપી….
કેવો દયાળુ છે એ? કેટલો બધો માયાળુ છે એ?એના ઉપર વિશ્વાસ રાખીએ તો એ શું નથી આપતો?
ભગવાન પ્રત્યેની શ્રધ્ધા તેમજ વિશ્વાસનું કોડિયું હંમેશાં સળગતું જ રાખો.પછી જુઓ કે અંધકારનો ડર
ક્યારે ય નહીં સતાવે. અને એ વાત પણ સત્ય જ છે કે આખા બ્રહ્માંડનું અંધારું એકઠું થાય ને તો પણ એક

કોડિયાને ક્યારે ય ઠારી શક્તું નથી….


If you enjoyed this post, make sure to subscribe to DivinePushti's RSS feed.

Share your comments & opinions

Comment Avatar

*